SAFARI MAGAZINE | GUJARATI EDITION

Current issue
અંક નં. ૩૬૭ | એપ્રિલ, ૨૦૨૫
Cover story
પોણોસો વર્ષ પહેલાં નાનીશી ગફલતને લીધે સ્વતંત્ર રાષ્ટ્ર બલુચિસ્તાન જ્યારે પાક તાનાશાહોનું ગુલામ બન્યું
ઓગસ્ટ ૧પ, ૧૯૪૭નો દિવસ આવતા સુધીમાં વલ્લભભાઇ પટેલે જૂનાગઢ, ત્રાવણકોર, હૈદરાબાદ તથા જમ્મુ-કાશ્મીર એ ચાર સિવાયનાં તમામ પપ૮ રાજ્યો-રજવાડાંને ભારતમાં સમાવી દીધાં હતાં. હકીકતે ભારત નામના દેશનું સર્જન જ ત્યારે થયું એમ કહેવું જોઇએ. (નેહરુની તે એકીકરણમાં કશી ભૂમિકા ન હતી.) મુહમ્મદ અલી ઝીણાના
પશ્ચિમ પાકિસ્તાનમાં ફક્ત બે દેશી રાજ્યોએ જોડાણનો દસ્તાવેજ કર્યો હતો. ભાગલા વખતે નકશા પરનું પશ્ચિમ પાકિસ્તાન ૪,૬૩,૬૧૦ ચોરસ કિલોમીટરનું, પરંતુ કુલ મળીને ૪,૧૯,પ૬૪ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતાં દેશી રાજ્યો તેમાં જોડાયાં ન હતાં અને ધરાર જોડાવા માગતાં ન હતાં.
આમાં બલુચી કલાત રાજ્ય અને તેેનાં આધિન બલુચ રાજ્યોનું એટલે કે બલુચિસ્તાનનું ક્ષેત્રફળ તો ૩,૪૭,૬૪૧ ચોરસ કિલોમીટર હતું. કલાતના શાસનકર્તા અહમદ યાર ખાનને ઝીણા પર ભરોસો ન હતો. અવિશ્વાસને લગતી વાત બાંધી મુઠ્ઠી જેવી રહી હોત તો બલુચિસ્તાનના સંજોગો આજે જેવા છે તેવા કદાચ ન હોત, પણ નાનીશી બાબતે પરિસ્થિતિને ટ્રેજિક વળાંક આપી દીધો અને બલુચ પ્રજાને ગુલામીના દોજખમાં ધકેલી દીધી.
More interesting articles
પારલૌકિક Psi-Trailing
ઋતુપ્રવાસી પંખી અગાઉના વર્ષે જે થાનકે શિયાળો વિતાવી ચૂક્યું હોય એ જ થાનકે બીજે વર્ષે ફરી બે-ત્રણ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને પાછું ફરે એવાં દ્રષ્ટાંતો પક્ષીજગતમાં ઘણાં છે. ગંજીમાંની સોય જેવું સરનામું તેઓ શી રીતે શોધે તેના સંતોષકારક ખુલાસા સદીઓ લાંબા સંશોધન પછીયે જડ્યા નથી. સંશોધકોએ homing-instinct એવો સગવડભર્યો શબ્દપ્રયોગ રચી કાઢ્યો છે. આ instinct / પ્રેરણા કરતાં પણ વધુ અકળ Psi-trailing છે, જે ખાસ કરી બિલાડી અને કૂતરામાં જોવા મળે છે. આ સજીવો અજાણ્યા મુલકમાં પોતે ક્યાં છે, જ્યાં પહોંચવું હોય તે લક્ષ્યની દિશા તથા દૂરી કેટલી છે અને ત્યાં પહોંચાડતો સાચો માર્ગ કયો છે એ તેમને ખબર હોતી નથી. આમ છતાં પારલૌકિક રીતે થતું પથદર્શન તેમને સેંકડો અને ક્યારેક હજારો કિલોમીટર છેટેના ગંતવ્યસ્થાને પહોંચાડી દે છે.


ખનીજો માટે લઘુગ્રહોનું ખાણકામ
અમેરિકાના કેલિફોર્નિઆ રાજ્યમાં આવેલી AstroForge નામની લિમિટેડ કંપની રોબોટિક ‘ખાણિયા’ને મોકલી લઘુગ્રહોનાં ખનિજો લાવવા માગે છે. આ કાર્ય માટે 5.5 કરોડ ડોલરનું ભંડોળ પણ તેના સ્થાપકો મેથ્યુ ગિઆલિચ તથા જોસ એકેઇનને મળી રહ્યું છે, કેમ કે રોકાણકારોને આકર્ષક વળતર મળવાનો ભરોસો છે. અવકાશી લઘુગ્રહ આપણી તરફ આવે તે જોખમ લેખાય, જ્યારે AstroForge નો તો સ્વયંસંચાલિત યાંત્રિક ખાણિયો સામો લઘુગ્રહ તરફ જવાનો છે અને પરત આવવાનો છે. ધરખમ માલમત્તા સાથે આવે કે મિશન ધોધે ગયા જેવું નીવડે તે પછીની વાત છે.
ભારતીય સંગીત સરળ ભાષામાં
ભારતીય સંગીતકળાનો ઉદભવ કયારે અને કેવા સંજોગોમાં થયો તેના અંગે ત્રણ-ચાર જાતના પ્રાચીન ઉલ્લેખો મળે છે, પરંતુ એકેયનો સંગીન પુરાવો હાથ લાગ્યો નથી. ઉદભવનો ખુલાસો આપતું દરેક મંતવ્ય છે એવું કે જેનો પુરાવો સંભવે જ નહિ. એક મંતવ્ય અનુસાર બ્રહ્માએ શાસ્ત્રબદ્ધ સંગીત રચ્યું અને શિવજીને તેમણે એ કળા આપી. દેવી સરસ્વતી ત્યાર બાદ શિવજી પાસે સંગીતનાં રાગરાગિણી શીખ્યાં. સંગીતની શિક્ષામાં સરસ્વતીના શિષ્ય એટલે નારદજી, જેમણે ગંધર્વો અને કિન્નરો ઉપરાંત ભરતને તે કળાનું જ્ઞાન આપ્યા પછી ભરતે સંગીતને આવરી લેતાં નાટ્યશાસ્ત્રનું સર્જન કર્યું. સંગીતની તેણે જે વ્યાખ્યા ઘડી એ પ્રમાણે ગાયન, વાદન અને નર્તનના સમાહાર વડે સંગીત બને, જેનો અર્થ એ કે સ્વયં ભરતના ત્રણ અક્ષરો (ભ = ભાવ, ર = રાગ, ત = તાલ) વિના સંગીત રચાય નહિ.

Notice
Due to Adobe Flash being discontinued and other technology upgrades it is no longer possible for us to provide your favorite Safari Magazine on web/desktop. In order to provide more convenience and reading pleasure we have moved the content to native mobile apps. If you are a digital subscriber then download the mobile app and enjoy reading in the HP MobiLib Digital Pocket Library app from Harshal Publications.